વડોદરા, તા.૨૭

વડોદરા રણજી ટીમના વાઇસ કેપ્ટન વિષ્ણુ સોલંકીની નવજાત પુત્રીના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ પિતાને પણ ગુમાવ્યા છે. આજે પિતા પુરષોત્તમભાઇ સોલંકીના મૃત્યુંના આઘાતના સમાચાર વચ્ચે પણ વિષ્ણુ સોલંકી એ કટક ખાતે મેચ રમીને ફરી પોતાની સ્પોર્ટ્‌સમેન સ્પિરીટ બતાવી હતી. આ પહેલા વિષ્ણુ સોલંકીએ દીકરીના મૃત્યુનું દુઃખ ભૂલાવીને મેદાનમાં ઉતર્યો હતો અને ચંદીગઢની ટીમ સામે ૧૦૩ રન ફટકારી ટીમને મજબૂત સ્થિતીમાં મૂકી દીધી હતી.

વડોદરા અને ચંદીગઢ વચ્ચે ભુવનેશ્વર કટક ખાતે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમાઇ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો. વડોદરાના રાઇટ હેન્ડ બેસ્ટમેન વિષ્ણુ સોલંકી તા.૬ ફેબ્રુઆરી બરોડાની ટીમ સાથે રણજી ટ્રોફી રમવા માટે ભુવનેશ્વર પહોંચ્યો હતો. દરમિયાન તેને તા.૧૧ ફેબ્રુઆરી રાત્રે ખુશીના સમાચાર મળ્યા કે, પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે. બાળકીના જન્મના સમાચાર મળતા તે ખૂશ થઇ ગયો હતો. પરંતુ, ૨૪ કલાક માં નવજાત બાળકીનું મૃત્યું થયું હતું.

દીકરીના મૃત્યુંના સમાચાર મળતા જ વિષ્ણુ સોલંકી વડોદરા આવી પહોંચ્યો હતો. તા.૧૩ ફેબ્રુઆરીએ દીકરીની અંતિમ વિધી પૂર્ણ કરી હતી. બાળકીનું મોત થતાં આઘાતમાં સરી પડેલી પત્નીને આશ્વાસન આપવા માટે ચાર દિવસ વિષ્ણુ સોલંકી પત્ની અને પરિવાર સાથે રહ્યો હતો અને ચાર દિવસમાં બાળકીના દુઃખને ભુલાવી તા.૧૭ ફેબ્રુઆરીએ ભુવનેશ્વર પહોંચી ગયો હતો અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં મુકવા તા.૨૩ ફેબ્રુઆરીના રોજ ચંદીગઢ સાથે મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો અને ચંદીગઢ ટીમની સામે ૧૫૭ બોલમાં ૧૦૩ રન ફટકારી વડોદરાની ટીમને મજબૂત સ્થિતિમાં

મુકી દીધી હતી.

આજે વિષ્ણુને ચાલુ મેચ દરમિયાન વધુ એક આઘાતજનક સમાચાર મળ્યા હતા. આજે વિષ્ણુના પિતાનું મૃત્યું થયું હતું, પરંતુ, વિષ્ણુએ મેચ છોડી ન હતી અને તણે ે મેચને મહત્વ આપ્યું હતું અને ટીમ સ્થિતિને વધુ મહત્વ આપ્યું હતું. વિષ્ણુનો ક્રિકેટ પ્રત્યનો પ્રેમ એટલી હદે બિરદાવા લાયક હતો કે, તેને પિતાના પાર્થિવ દેવના દર્શન વીડિયો કોલથી કર્યા હતા. વિષ્ણું સોલંકીની અથાગ મહેનત ભવિષ્યમાં રંગ લાવે તો

નવાઈ નહીં.