અમરેલી-

રામ જન્મભૂમિ અયોધ્યામાં ૫ ઓગસ્ટના રોજ રામ મંદિરનં ખાતમૂહુર્ત કરવામાં આવશે. તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન કથામાં આજે મોરારિ બાપુએ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી છે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા ૫ કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. મોરારિ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં ૫ લાખ રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને ૫ કરોડ મોકલવામાં આવશે.

જાે હું કોઇ એક વ્યક્તિને સંકેત કરૂ તો તે એકલા હાથે કરી શકે. પરંતુ એમ નહીં મારે બધા શ્રોતા પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે ૫ કરોડ રૂપિયા મોકલીશું. મારી જે પણ કથા સાંભળે છે તેની પાસેથી જે પણ રૂપિયા આપે તે બધા રૂપિયા મળી ૫ કરોડ રૂપિયા રામમંદિરના નિર્માણમાં મોકલીએ છીએ. કોઇ એક વ્યક્તિને નહીં પણ બધા જ શ્રોતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવશે. ભગવાન પણ કબૂલ કરે કે તુલસી દ્વારા દેવામાં આવી રહ્યા છે. આમાં મોરારિ બાપુ નહીં પણ બધા શ્રોતાગણ નિમિત બનશે.