અમદાવાદ-

અમદાવાદ બગોદરા-અરણેજ રોડ પર અકસ્માત સર્જાયો હતો . મજુરોને લઈને જતી ગાડી ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા જ આજુબાજુના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને ઘાયલોને સારવાર અર્થે બગોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માત જોઇને લોકોમાં અરેરાટી સાથે હેરાન જોવા મળ્યા હતા. તુફાનમાં સવાર લોકો દાહોદથી સૌરાષ્ટ્રમાં જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.