અમદાવાદ-
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેના માતા-પિતાના 30 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. બાદમા તેના પિતા તેની માતાને અવારનવાર શંકા રાખીને મારતા હતા. સંતાનમાં 5 દીકરા હોવાથી તેની માતા બધુ સહન કરતી હતી. જેનાથી કંટાળીને 5 સંતાનો સાથે માતા અલગ ઘરમાં રહેવા જતી રહી હતી, ત્યા પણ તેના પિતા આવીને ત્રાસ આપતા હતા. દશેરાના દિવસે યુવતીના માતા અને ભાઈ ફાફડા-જલેબી લેવા ગયા હતા. ત્યા યુવતીના પિતા પહોંચ્યા હતા અને અચાનક તેની માતા સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. પરંતુ પૈસાની સગવડ ના હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોધાવી નહોતી. જે બાદ મામલો શાંત પાડ્યો હતો. ત્યારે મોડી રાતે યુવતીની માતા બૂમો પાડતા હતા અને ઊઠીને જોયું તો તેના પિતા ત્યાથી ભાગી રહ્યા હતા અને યુવતીની માતા મોઢા અને છાતીના ભાગે દાઝી ગયા હતા. ઉપરાંત યુવતી અને તેના ભાઈ પણ દાઝી ગયા હતા, ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમના પિતાએ તેમના પર એસિડ ફેક્યુ હતું. હાલ યુવતીની માતા તથા ભાઈ સારવાર હેઠળ છે અને માતાની હાલત ગંભીર છે. વેજલપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments