અમદાવાદ-
દિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાયરસ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. અમદાવાદમાં આજ રાતથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરાઇ છે. આ દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં નવા કોરોના કેસ સામે આવતા સરકારની ચિંતા વધી ગઇ છે. કારણ કે મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં નવા દર્દી આવતા હવે ખાલી બેડની સંખ્યા ઘટી ગઇ છે.
હાલ અમદાવાદ શહેરની મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ જતાં દર્દીઓની હાલત કફોડી બની છે.એક સમયે શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં બંધ કરવામાં આવેલાં કોરોના પેશન્ટોની સારવાર માટેના બે વોર્ડ ફરીથી શરૂ કરવામાં આવ્યાં છે.
અમદાવાદની કોવિડ હોસ્પિટલો દર્દીઓના બેડની સ્થિતિ
કુલ બેડ 2256
આઈસોલેશન બેડ 772
ખાલી બેડ 104
એચડીયુ બેડ 777
ખાલી બેડ 68
આઈસીયુ વેન્ટિલેટર વગર 338
ખાલી બેડ 18
આઈસીયુ વેન્ટિલેટર સાથે 157
ખાલી બેડ 18
સોલા સિવિલ 500
ખાલી બેડ 130
અસારવા સિવીલ 1200
ખાલી બેડ 476
મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં નોંધાઈ રહેલા કોરોના પોઝિટિવ કેસની સાચી વિગતો મ્યુનિસિપલ તંત્ર દ્વારા લોકો સમક્ષ જાહેર કરાતી નથી. મોટાભાગની સરકારી કે મ્યુનિ.દ્વારા ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી 76 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના પેશન્ટો માટે અલગ રાખવામાં આવેલા મોટા ભાગના બેડ દર્દીઓથી ભરાઈ જતા હવે ગણતરીના બેડ જ ખાલી રહેવા પામ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments