વડોદરા-

આઝાદી ના અમૃત પર્વની ઉજવણી અને દાંડી યાત્રા સ્મૃતિ દિવસની ડેસર તાલુકામાં સ્વતંત્રતા સંદેશ બાઈક રેલી અને અમૃત પર્વ સભા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસને યોજેલા આ કાર્યક્રમ માં સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા થી દેશભરમાં યોજવામાં આવેલા કાર્યક્રમો ની વિગતવાર જાણકારી આપી લોકોને તેમાં જોડાવા હાકલ કરી હતી.

આવો જ કાર્યક્રમ કરજણ તાલુકાના મિયાગામ ખાતે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અક્ષય પટેલ,જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી ની ઉપસ્થિતિ માં યોજાયો હતો. પ્રતાપપુરા ના કાર્યક્રમમાં વક્તા ભાવના મહેતા એ આત્મ નિર્ભર ભારત અંગે અને મિયાગામ માં વિષય નિષ્ણાત પ્રાધ્યાપકે જળ સંરક્ષણ ની અગત્યતા સમજાવી હતી. બંને કાર્યક્રમોમાં સ્વતંત્રતા માટેના બલિદાની આઝાદીના લડવૈયાઓ ને નત મસ્તકે સલામી આપવામાં આવી હતી. બંને કાર્યક્રમોના ભાગરૂપે સ્વતંત્રતા સંદેશ બાઈક રેલી યોજવામાં આવી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આઝાદીની અમુલ્યતા ની જાણકારી આપવામાં આવી હતી.મહાનુભાવો એ વૃક્ષારોપણ કર્યું હતું.