દિલ્હી-

અનિલ અંબાણી અને તેમની કંપનીઓનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે.અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ ફરી એક વખત નોન કન્વર્ટિબલ ડિબેન્ચરનુ ઈન્ટરેસ્ટ ચુકવવામાં નિષ્ફળ ગઈ છે.કંપનીએ 21 ફેબ્રુઆરીએ ઈન્ટરેરસ્ટ ચુકવવાનુ હતુ પણ તેમાં તે નિષ્ફળ ગઈ હતી.અનિલ અંબાણીની કંપની 49મી વખત ડિફોલ્ટર થઈ છે.

એક અખબારના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટમાં કંપનીએ કહ્યુ હતુ કે, કંપની પર નોન કન્વર્ટેબલ ડિબેન્ચરનો 14000 કરોડ રુપિયાનો બોજાે છે.કંપની દેવુ ચોકાવવા માટે પોતાની સંપત્તિ વેચવા માટે કાર્યવાહી કરી છે. આ માટે રસ ધરાવતી પાર્ટીઓ પાસે પ્રસ્તાવો પણ મંગાવાયા છે.

રિલાયન્સ કેપિટલે છેલ્લા એક વર્ષમાં એચએચડીએફસી અને એક્સિસ બેન્કની લોનના ૧૧ હપ્તા ચુકવ્યા નથી.આ બંને બેન્કો પાસે અનુક્રમે ૫૨૪ કરોડ અને 101 કરોડની લોન કંપનીએ લીધેલી છે. રિલાયન્સ કેપિટલ પર કુલ 20,511 કરોડ રુપિયાનુ દેવુ છે અને છેલ્લા ક્વાર્ટરના જાહેર થયેલા પરિણામમાં કંપનીને 4018 કરોડની ખોટ ગઈ હોવાનુ દર્શાવાયુ છે.