દિલ્હી,

વિશાખાપટ્ટનમમા ગેસ લીક દુર્ઘટનાની યાદો હજુ ભૂલાઈ નથી ત્યાં ફરી વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજની દુર્ઘટના બનતા બે વ્યકિતના મોત થતા અફડાતફડી મચી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આજે વહેલી સવારે પરવદાના જવાહરલાલ નહેરૂ ફાર્મા સીટી સ્થિત સેમર લાઈફ સાયન્સ ફાર્મા કંપનીમાં ગેસ લીક થયો હતો. લીક થયેલો ગેસ બેંજીમિડાજોલ જણાવાઈ રહ્યો છે. જે ઝેરી જણાવાઈ રહ્યો છે. જે સમયે ગેસ લીક થયો ત્યારે કંપનીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. 

આ દુર્ઘટનામા બે કર્મચારીના મોત થયા હતા. અન્ય બેહોશ થયેલા કર્મચારીઓને હોસ્પીટલે દાખલ કરાયા હતા. મૃત્યુ પામેલા શખ્સોની નરેન્દ્ર અને ગૌરી નરેન્દ્ર તરીકે ઓળખ થઈ છે. ગેસ કેવી રીતે લીક થયો તેની તપાસ ચાલી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ ટેકનીકલ કારણે ગેસ લીકેજ થયાનુ મનાય છે. પોલીસ કમિશ્નર સહિતનો સ્ટાફ ફાર્મા કંપની ખાતે પહોંચ્યા હતા.