બનાસકાંઠા-

બનાસકાંઠાના વાવના દેવપુરા ગામ નજીક કેનાલમાં પિતાએ પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. વાવના દેવપુરા મેઇન કેનાલમાં પિતાએ 3 વર્ષના દીકરા સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. થરાદ નગરપાલિકાના તરવૈયાઓએ પિતાના મૃતદેહને બહાર કાઢ્યો છે. 15 કલાક બાદ પિતાનો મૃતદેહ મળી આવ્યો છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. ત્યારે 3 વર્ષના દીકરાની શોધખોળ ચાલી રહી છે. બાળકનો મૃતદેહ શોધવા તરવૈયા પ્રયત્ન કરી રહ્યા છે. કેનાલ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા છે. પિતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. આત્મહત્યા પાછળના કારણ માટે વાવ પોલીસે તપાસ હાથ ધરી છે. પિતા-પુત્રએ પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા અનેક સવાલો પણ ઉદ્ભવે છે.