બેંગલુરુ-

કેન્દ્રિય આયુષ પ્રધાન શ્રીપદ નાઈકની પત્ની અને તેમના પીએનું કાર અકસ્માતમાં મોત થયું છે.આ અકસ્માતમાં નાઈકને પણ ગંભીર ઈજાઓ થઈ છે. 

સોમવારે રાત્રે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, કેન્દ્રિય મંત્રી નાઈકની હાલ સ્થિર છે, અને તેમના પર બે સર્જરી કરવાની છે. તેમને આ સર્જરીને માટે દિલ્હી શિફ્ટ કરવાની પણ જરૂર નથી એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ નાયકની હાલત બાબતે જાણકારી મેળવી હતી. 

મૂળ ગોવાના નાઈક પોતાની પત્નીની સાથે ગોકર્ણ જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. કારચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો અને તેમાં તેમના પત્ની વિજયા અને પીએનું મોત થયું હતું, જ્યારે નાઈક સહિત અન્ય ત્રણ જણાંને ઈજાઓ પહોંચી હતી.