"રામ’ ના નામે તરી ગયેલા ભ્રષ્ટાચારી પથરાઓ કેટલા નિર્લજ્જ-નફફટ અને અસંવેદનશીલ છે એનો એક વધુ દાખલો એટલે વડોદરાની હથેળી પર હસ્તરેખા સમી કોરાયેલી એક સમયની પવિત્ર "વિશ્વામિત્રી’ નદીની આજની શરમજનક - અપમાનજનક અને ધાર્મિક લાગણી દુભવતી સ્થિતિ.પવિત્ર શક્તિપીઠ "પાવાગઢ’ પરથી નીકળતી આ નદી જે ઋષિના નામે ઓળખાય છે એ વિશ્વામિત્રી ઋષિએ જ "રામ’ને રામ બનવાનું પહેલું પગથિયું આપ્યું હતું, એ પણ આજકાલના રામભક્તો ભૂલી ગયા છે! આ એક સમયની પવિત્ર "વિશ્વામિત્રી’ નદી સ્થાપિત અને ભ્રષ્ટ શાસકો એવા બનાવટી રામભક્તોના પાપે જ આજે હવે માત્ર કુડા-કચરા અને મળમૂત્રથી ગંધાતી ગટર બની રહી છે. દુશ્ખની વાત તો એ છે કે બહુમતી કોમની યુવતીને ભગાડી જનાર લઘુમતિ કોમના યુવાન સામે "લવજેહાદ’ના વિરોધમાં સરેબાજાર લડવા ઉતરી પડતા આ રામભક્તોને બ્રહ્મર્ષિ વિશ્વામિત્રી ઋષિના નામે ઓળખાતી નદીમાં લઘુમતિઓના મળમૂત્ર પણ ધોધબંધ વહેતા છૂટે છે તેની સામે કોઈ લાગણી દુભાતી નથી!