"રામ’ ના નામે તરી ગયેલા ભ્રષ્ટાચારી પથરાઓ કેટલા નિર્લજ્જ-નફફટ અને અસંવેદનશીલ છે એનો એક વધુ દાખલો એટલે વડોદરાની હથેળી પર હસ્તરેખા સમી કોરાયેલી એક સમયની પવિત્ર "વિશ્વામિત્રી’ નદીની આજની શરમજનક - અપમાનજનક અને ધાર્મિક લાગણી દુભવતી સ્થિતિ.પવિત્ર શક્તિપીઠ "પાવાગઢ’ પરથી નીકળતી આ નદી જે ઋષિના નામે ઓળખાય છે એ વિશ્વામિત્રી ઋષિએ જ "રામ’ને રામ બનવાનું પહેલું પગથિયું આપ્યું હતું, એ પણ આજકાલના રામભક્તો ભૂલી ગયા છે! આ એક સમયની પવિત્ર "વિશ્વામિત્રી’ નદી સ્થાપિત અને ભ્રષ્ટ શાસકો એવા બનાવટી રામભક્તોના પાપે જ આજે હવે માત્ર કુડા-કચરા અને મળમૂત્રથી ગંધાતી ગટર બની રહી છે. દુશ્ખની વાત તો એ છે કે બહુમતી કોમની યુવતીને ભગાડી જનાર લઘુમતિ કોમના યુવાન સામે "લવજેહાદ’ના વિરોધમાં સરેબાજાર લડવા ઉતરી પડતા આ રામભક્તોને બ્રહ્મર્ષિ વિશ્વામિત્રી ઋષિના નામે ઓળખાતી નદીમાં લઘુમતિઓના મળમૂત્ર પણ ધોધબંધ વહેતા છૂટે છે તેની સામે કોઈ લાગણી દુભાતી નથી!
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments