વાંસદા. વાંસદા પંથકપના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અને ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો. વાંસદા પંથકમાં શુક્રવારે સવારથી વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું. વહેલી સવાર થી આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતાં. જેમાં ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા.૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.જેમાં શુક્રવારે વહેલી સવારથી જવાતાવરણ માં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી વરસાદી છાંટા પડ્યા હતા. જેમાં સવારથી જ સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું. આથી, રોડ-રસ્તાઓ ભીના થઇ ગયા હતા ત્યારે કમોસમી વરસાદના લીધે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. રવી પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ હતી. પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોને પડ્યા પાર પાટુ માર્યું છે.