ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં વ્રજ વિહાર સોસાયટી નજીક કચ્છ સુપર સ્ટોર ખાતે ખરીદી કરવા ગયેલ વૃદ્ધે કાઉન્ટર આડે ઉભેલ યુવાનને હટવાનું કહેતા ઉસ્કેરાયેલ યુવાને ગાળાગાળી કરી તેના મિત્રોને બોલાવી વૃદ્ધ ઉપર હિંસક હુમલો કરી રોડ ઉપર ફંગોળી દઈ લાતોથી માર મારવાની ઘટના બહાર આવી છે. હિંસક હુમલાનો ભોગ બનેલ વૃદ્ધના થાપાના ભાગે ફ્રેકચર થતા તેમનો ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે મામલો સી ડીવીઝન ખાતે પહોચ્યો હતો. જેમાં હુમલો કરનાર શકશો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફ્લીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અલકનંદા ગેલેક્ષીમાં રહેતા ૬૫ વર્ષીય જશુભાઈ દયાળભાઈ જાદવ ગુરુવારની સાંજે પાંચ વાગ્યાની આસપાસ વ્રજવિહાર સોસાયટી ખાતે કચ્છ સુપર સ્ટોર ખાતે ખરીદી કરવા ગયા હતા. જ્યાં નારાયણ દર્શનમાં રહેતો દિનુભા શિવસિંહ રાણા જ્યાં કાઉન્ટરની આડે ઉભેલ હતો. જશુંભાઈ જાદવે કાઉન્ટર પાસેથી હટવાનું કહેતા દિનુભા રાણાએ ઉસ્કેરાઈ જઈ તેમની સાથે ગેરવર્તન કરી ગાળાગાળી કરી ત્યાંથી જતો રહ્યો હતો અને તેના બે મિત્રો સાથે પાછો આવી જશુભાઈ જાદવ ઉપર હુમલો કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments