નવી દિલ્હી 

બેડમિંટન ખેલાડી પી વી સિંધુ અને સાઈના નહેવાલ સહિત ભારતની આઠ સદસ્યની ટીમ બીડબલ્યૂએફ વિશ્વ ટૂર ફાઈનલ્સ સહિત બેંકોકમાં થનાર આગામી ત્રણ ટૂર્નામેંટમાં ભાગ લેશે. ભારતીય બેડમિંટ સંઘએ ઓલંપિક ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખી અને જાન્યુઆરીમાં થનાર ટૂર્નામેંટો માટે સોમવારે આઠ સભ્યની મજબૂત ટીમની પસંદગી કરી છે.

ટીમમાં સિંધુ, સાઈના, બી સાઈ પ્રણીત, કિદામ્બી શ્રીકાંત, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડી 12થી 17 જાન્યુઆરી વચ્ચે યોનેક્સ થાઈલેન્ડ ઓપનમાં ભાગ લેશે, ત્યારબાદ 19થી 24 જાન્યુઆરી વચ્ચે ટોયોટા થાઈલેંડ ઓપન અને 27થી 21 જાન્યુઆરી વચ્ચે બીડબ્લ્યૂએફ વિશ્વ ટૂર ફાઈનલ્સ રમશે.

મહત્વપૂર્ણ છે કે માર્ચમાં કોરોના વાયરસના કારણે અનેક ટૂર્નામેન્ટ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદથી આ પહેલીવાર છે જ્યારે શ્રીકાંત સિવાય અન્ય ભારતીય ખેલાડી કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેંટ રમશે.