નવી દિલ્હી  

દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવવાના સમાચાર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કપિલની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ છે. જોકે હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. કપિલ દેવ હાલમાં જોખમની બહાર છે.

કપિલ દેવના સમાચાર મળ્યા ત્યારથી જ તેમના ચાહકો તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. ભારતની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વનડે વર્લ્ડ કપ અપાવનારા કપિલ દેવની ગણતરી વિશ્વના મહાન ઓલરાઉન્ડરમાં થાય છે.

કપિલદેવની કપ્તાની હેઠળ 1983 માં ભારતે પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 131 ટેસ્ટ 225 વનડે મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 5248 રન, 443 વિકેટ છે. વનડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 3783 રન બનાવ્યા હતા અને 253 વિકેટ પણ લીધી હતી. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1994 માં ફરીદાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી.