વડોદરા : કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં રાજ્ય સરકાર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ આપવાની સાથે તમામ દુકાનો તા.૧૧મીથી સાંજે ૭ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ આપતાં વેપારીઓ તેમજ રેસ્ટોરન્ટના સંચાલકોએ ખુશી વ્યક્ત કરી છે. આ ઉપરાંત જિમ્નેશિયમ પણ તા.૧૧ જૂન, ૨૦૨૧ના રોજ સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. જેમાં રેસ્ટોરન્ટ, હોટેલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂનથી ર૬ જૂનના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતાના પ૦ ટકા સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧ર વાગ્યા સુધી થઈ શકશે.
રાત્રિ કરફયૂનો અમલ યથાવત્ રાખવામાં આવ્યો છે પરંતુ તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વાણિજ્યિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવાનો નિર્ણય કરાતાં રાહત અનુભવી છે. જિમ્નેશિયમ પ૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસપોપીનું પાલન આવશ્યક રહેશે. આમ રાજ્ય સરકારે છૂટછાટ આપી નિયંત્રણો હળવા કરતાં વડોદરાના હોટેલ, રેસ્ટોરન્ટના સંચાલકો, વેપારીઓ અને જિમ સંચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments