ડભોઇ, ડભોઇ માં ડો. બાબા સાહેબ આંબબેડકર ચોક ખાતે એસ.ટી./એસ.સી સમાજના આગેવાનો તેમજ ભાજપ ના ધારાસભ્ય સહિત ભાજપ કાર્યકરો એ ડો. બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિનનિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરતાંદ્રશ્યમાન થાય છે. 

ડભોઇ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ની ૫૬મી નિર્વાણ તિથી નિમિતે નગર ના એસ.ટી./એસ.સી,બક્ષીપાંચ સમાજ ના આગેવાનો તેમજ ભાજપ કાર્યકરો દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર કરી ડો.બાબાસાહેબ આંબેડકર અમર રહો ના નારાસાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. ડભોઇ ખાતે એ.પી.એમ.સી.મેદાન નજીક આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા નજીક આજ રોજ ૫૬માં નિર્વાણ દિન નિમિત્તે નગર ના એસ.ટી./એસ.સી., તેમજ બક્ષીપંચ સમાજ ના આગેવાનો એકત્ર થઈ ફૂલહાર કરી નિર્વાણ દિન નિમત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી આ પ્રસંગે નગીનભાઈ પરમાર, મહેશભાઈ વસાવા, મનીભાઈ રોહિત સહિત આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.તો વધુમાં ડભોઇ નગર અને તાલુકા ભાજપા દ્વારા પણ આંબેડકર નિર્વાણદિન નિમિત્તે પ્રતિમાને ફૂલ હાર અર્પણ કર્યા હતા જેમાં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થીત રહ્યા હતા.