દિલ્હી-

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 96 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 96,982 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,26,86, 049 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી 446 લોકોનાં મોત થયાં. આ સાથે આ રોગથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 1,65,547 પર પહોંચી ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 7,88,223 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધી 1,17,32, 279 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશનો પુન:સ્વસ્થ થવાનો દર 92.48 ટકા છે. 24 કલાકમાં 12 લાખથી વધુ પરીક્ષણો કરાયા દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 લાખ થી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા છે. આઇસીએમઆર અનુસાર, 05 એપ્રિલના રોજ 12 લાખ, 11 હજાર, 612 પરીક્ષણો થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 25,02,31,269 પરીક્ષણો થયા છે.