ઝાલોદ,  ઝાલોદ તાલુકાના નનાસલાઈ ગામના બસ સ્ટોપ નજીકના ગ્રામ પંચાયતના કૂવા જાેડે ઊભા કરાયેલા બે થાંભલા ઊભા કરેલા એક વર્ષ જેટલા સમય થી ઝૂકી ગયેલી હાલતમાં જાેવા મળતા હતા.સાથે તેના ઉપરથી વીજ પ્રવાહ પસાર થતા વાયરો પણ ઝાડી ઝાખરાઓથી ઘેરાયેલા જાેવા મળતા હતા.જેને લઈ ત્યાંથી પસાર થતા ગામ લોકો અને જાહેર કુવા પર પાણી ભરવા આવતા લોકોમાં અકસ્માત સર્જાવાનો ભય જાેવા મળતો હતો. ત્યારે લોકસતા જનસતા દૈનિક અખબારે આ જાહેર સમસ્યાને પ્રસિદ્ધ કરી વીજ તંત્ર ની લોલમપોલ બહાર પાડતા ઝાલોદ વીજ કચેરીના જવાબદાર અધિકારીઓ અને હેલ્પરકર્મીઓ તાત્કાલિક સમસ્યા સ્થળે આવી ગુંચવાયેલી વીજ લાઈન દૂર કરી જેસીબી મશીન દ્વારા નજીકના ઝાડી ઝાખરાઓ ખસેડી અને લાઈન ઉપર નમેલા મોટા મોટા ઝાડની ડાળીઓ પાડી સમસ્યાનો હલ કરવામાં આવ્યો હતો.