ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1175 થી વધુ નોંધાયા છે. જેની સામે 1414 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં 11 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1175 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,55,098 થયો છે. તેની સામે 1,36,541 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,55,098 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,959 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,55,098 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,959 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 79 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,880 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,36,541 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.