રાજકોટ

કોરોનાની બીજી લહેર બાદ દેશમાં અલગ-અલગ રોગ ફાટી નીકળ્યા છે. જેમાં હાલમાં મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ મોટાભાગના કોરોનાની સારવાર લીધેલા દર્દીઓમાં જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓમાં વધારો જાેવા મળી રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સર્જરી કરવામાં આવે છે. જેમાં અત્યારસુધીમાં ૪૦૦થી વધુ મ્યુકોરમાઇકોસીસના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં રાજકોટમાં કુલ ૭૦૦ જેટલા દર્દીઓ મ્યુકોરમાઇકોસીસની સારવાર હેઠળ છે.

મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ માટે અલગ ૫૦૦ બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જે હાલ ફૂલ થઇ ગયો છે. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને સર્જરી બાદ તેમને સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાક સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ ૧૮થી ૨૦ જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે. જ્યારે હજુ પણ કેટલાક દર્દીઓ સર્જરી માટે વેઈટિંગમાં હોવાનું સામે આવ્યું છે.

હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૪૯૪ જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં ૧૯૩ જેટલા દર્દીઓ સારવાર હેઠળ જાેવા મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સર્જરી બાદ તેમણે સમરસ હોસ્ટેલમાં દાખલ રાખવામાં આવે છે.

જ્યારે અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસીસના ૫ જેટલા દર્દીઓના મોત રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક આ પ્રકારના રોગના દર્દીઓને સારવાર મળે તે માટે કામ કરી રહ્યું છે.