મુંબઇ-

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મંદિરોમાં આવનારા મુલાકાતીઓએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. લોકોને માસ્ક પહેરીને મંદિરોમાં જવાની મંજૂરી આપવામાં આવશે.