અમદાવાદ-

કોરોનાને કારણે તમામ ક્ષેત્રમાં બદલાવ જોવા મળ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ પર પણ તેની અસર થઇ છે. છેલ્લા 15 માસથી શિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે. શાળાઓમાં ભણતા ધોરણ 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 12 ની પરીક્ષા હવે યોજાવવાની છે, જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે ધોરણ 12 ની 200 બ્લોકમાં લેવાતી GSEB ની પરીક્ષા માટે વધુ 100 બ્લોક ઉમેરવા પડશે. જેથી કુલ 300 બ્લોકમાં પરીક્ષા લેવી પડશે.

ધોરણ 12 ના 6.83 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી શરુ થવાની છે. દર વર્ષની જેમ પરીક્ષા યોજાશે, પરંતુ આ પ્રશ્નપત્ર સિવાય તમામ બાબતોમાં બદલાવ જોવા મળશે. વિદ્યાર્થીઓ અને નિરીક્ષકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. અગાઉ વર્ગ ખંડમાં જેટલા વિદ્યાર્થીઓને બેસડવામાં આવતા હતા. તેના કરતા ઓછા વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા યોજવામાં આવશે. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવો પડશે અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો પડશે. વિદ્યાથીઓ માટે અગાઉ પરીક્ષામાં 200 બ્લોકની વ્યવસ્થા હતી, તે વધારીને હવે 300 કરવામાં આવશે.

1 જુલાઈથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવવાની છે. તેને લઈને શિક્ષણ વિભાગ કામે લાગ્યું છે. અગાઉ એક વર્ગખંડમાં 30 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હતા. તેની જગ્યાએ હવે 20 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. વિદ્યાર્થીઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે ધ્યાન રાખવામાં આવશે.અગાઉ પરીક્ષા માટે 203 બ્લોકનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે હવે વધારીને 300 જેટલો કરવામાં આવશે.