દિલ્હી-

COVID-19 કેસોમાં સતત વધારો થવાને કારણે NEETની પરીક્ષા 2021 ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ કરાશે. આ નિર્ણયની રવિવારે પીએમ મોદીની સમીક્ષા બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે પ્રવર્તિત કોવિડ પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે માનવ સંસાધનોમાં વધારો કરવાના વિવિધ પગલાંની સમીક્ષા કરી. આ સાથે જ મેડિકલ કર્મચારીઓ જેમણે કોવિડ-19 ડ્યુટીના 100 દિવસ પૂર્ણ કર્યો છે. તો તેમને હવે આવનારી સરકારી નોકરીની ભર્તીઓમાં પણ પ્રમુખતા આપવામાં આવશે. સાથે સાથે મેડિકલ ઈન્ટર્નની ડ્યુટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સિનીયર ડોક્ટરોની દેખરેખમાં લાગુ કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીના નિર્ણય મુજબ, એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની સેવા હળવા કોવિડ -19 લક્ષણોવાળા દર્દીઓના મોનિટરિંગ માટે લેવામાં આવશે. બીએસસી (નર્સિંગ) / જીએનએમ પાસ નર્સોની સેવાઓ સિનિયર ડોકટરોની દેખરેખ હેઠળ ફુલ ટાઇમ-નર્સિંગ ડ્યુટી માટે લેવામાં આવશે.તેની સાથે જ મેડિકલ કર્મચારીઓ જેમને કોરોના ડ્યૂટી માટે 100 દિવસ પૂરા કરી લીધા છે, તેમને આવનારી સરકારી નોકરીઓની ભરતીમાં પ્રમુખતા આપવામાં આવશે. તેની સાથે જ મેડિકલ ઇન્ટરન્સની ડ્યૂટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સીનિયર ડોક્ટર્સની જેમ લગાવવામાં આવશે.