દિલ્હી-

જેઇઇ મેઈન પરીક્ષાનું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરાયું હતું. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષાઓમાં 6 વિદ્યાર્થીઓએ 100 ટકા ગુણ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. સોમવારે ફક્ત પેપર 1 (બી.ઇ. અને બી.ટેક)ના ગુણ જાહેર કરવામાં આવી રહ્યા છે. પેપર 2 એ અને 2 બી (બી આર્ક અને બી પ્લાનિંગ) ના પરિણામો આવતા કેટલાક દિવસોમાં જાહેર કરવામાં આવશે. 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં રાજસ્થાન સેન્ટરના સાકેત ઝા, ચંદીગઢ સેન્ટરના ગુરમીત સિંહ, દિલ્હી NCRમાંથી પ્રવર કટારિયા અને રિમજીમ દાસ, મહારાષ્ટ્ર સેન્ટરમાંથી સિદ્ધાંત મુખરજી અને ગુજરાત સેન્ટરમાંથી અનંત કૃષ્ણા સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓએ જેઇઇ મુખ્ય પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. જેઇઇ મેઇન્સ (JEE Mains)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષાઓમાં 6 વિદ્યાર્થીઓ 100 ટકા ગુણ મેળવીને ટોચના સ્થાને રહ્યા છે.