દિલ્હી-
નાગરિકતા સુધારો કાયદા વિરુદ્ધના આંદોલન વચ્ચે શાહીન બાગ વિસ્તારમાં ગોળીબાર કરી રહેલા કપિલ ગુર્જર ફરી ચર્ચામાં છે. બુધવારે કપિલ ગુર્જર યુપીના ગાઝિયાબાદમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
કપિલ ગુર્જર ગાઝિયાબાદમાં ભાજપના સ્થાનિક નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાયા બાદ કપિલ ગુર્જરે કહ્યું કે ભાજપ હિન્દુત્વને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે, આવી સ્થિતિમાં તે ભાજપ સાથે છે.
આ વર્ષની શરૂઆતમાં, નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ધરણા પ્રદર્શન થયું હતું. તે જ વિસ્તારમાં જઈને કપિલ ગુર્જરે હવાઇ ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે કપિલ ગુર્જરને બાદમાં રૂ. 25,000 ના અંગત બોન્ડ પર જામીન મળી ગયા હતા. જેલમાંથી છૂટ્યા બાદ કપિલ જ્યારે તેના વિસ્તારમાં પહોંચ્યો ત્યારે જોરજોરથી તેમનું સ્વાગત પણ કરાયું હતું.
જ્યારે કપિલ ગુર્જર દ્વારા ફાયરિંગની વાત સામે આવી ત્યારે એમ પણ કહેવામાં આવ્યું કે તેમનો અને તેના પરિવારનો સંબંધ આમ આદમી પાર્ટી સાથે છે. આપના નેતાઓ સાથે કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી હતી, પરંતુ હવે ઘણા મહિના પછી કપિલ ગુર્જર સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments