મુંબઈ-

ભારતીય ખેલાડીઓને તેમના હોટલના કમરામાં મોકલી દેવાયા છે. ગુરુવારે સવારે તમામ ખેલાડીઓનો ફરી ટેસ્ટ કરાયો હતો. બુધવાર થયેલા ટેસ્ટ બાદ સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટી નીકળ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડમાં છે. શ્રેણીની ચાર મેચ રમાઈ છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના પોઝિટીવ થયા બાદ રવિ શાસ્ત્રી આઈસોલેટ થયા હતા. શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ અને સપોર્ટ સ્ટાફના અન્ય બે સભ્યોને પણ આઈસોલેટ કરાયા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડે રવિવારે આ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.