દેવગઢબારિયા, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં છેલ્લા દસ વર્ષમાં સાડા ચાર ડઝન ઉપરાંત કુવાઓમાંથી તેમજ બિનવારસી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના બનાવો બની ચૂકેલા છે.જેમાં આજ એક ૯ વર્ષીય ચાર દિવસથી ગુમ બાળકીની લાશ સરસવા પૂર્વ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા લાશને સુખસર સરકારી દવાખાના પીએમ અર્થે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

ફતેપુરાના નીંદકાપૂર્વ લીંબાખેડી ફળિયા માં રહેતા રણજીતભાઈ મછાર ની પુત્રી રોશનીબેન ઉંમર વર્ષ આશરે નવ વર્ષની ધોરણ ચાર માં અભ્યાસ કરતી હતી.જે ગત ચારેક દિવસથી ઘરેથી ગુમ થઈ હતી.જેની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન આજરોજ સરસવા પૂર્વ કૂવામાં કોઈ બાળકીની લાશ હોવાની જાણ થતા નીંદકાપૂર્વથી પણ લોકો તે સ્થળે ગયા હતા મળી આવેલા લાશ વાળા કુવા ઉપર જઈ જાેતા આ લાશ રોશનીબેનની હોવાનું જાેવા મળ્યું હતું.આ બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં તાત્કાલિક સુખસર પોલીસ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી જવા પામ્યો હતો.જ્યારે પંચકેશ બાદ લાશને કૂવામાંથી બહાર કાઢતા મૃતક રોશનીબેનની જીભ મોઢાની બહાર જાેવા મળી હતી. જેના લીધે ઉપસ્થિત લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ સાંભળવા મળી હતી.