મુંબઇ 

રજનીકાંત હાલમાં તમિલ ફિલ્મ 'અન્નાથ્થે'નું શૂટિંગ હૈદરાબાદમાં કરી રહ્યા હતા. પણ હાલમાં તેમની ફિલ્મનું શૂટિંગ અકાવી દેવામાં આવ્યું છે. અને તે ફરી શરૂ ક્યારે થશે તે અંગે કંઇ જ માહિતી આપવામાં આવી નથી. કારમ છે સેટ પર આઠ ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ફિલ્મ સાથે સંક્ળાયેલાં સૂત્રોનું માનીયે તો, શૂટિંગ અચોક્કસ મુદત માટે અટકાવી દેવામાં આવતા રજનીકાંત બુધવાર 23 ડિસેમ્બર અથવા ગુરુવાર 24 ડિસેમ્બરના રોજ ચેન્નઈ પરત ફરી જશે.

અત્યાર સુધીમાં ફિલ્મનું 60 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. હવે 40 ટકા કામ બાકી છે. જો ફિલ્મનું શૂટિંગ ચાલુ હોત તો તે 29 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવત. ફિલ્મમાં રજનીકાંત કેરિંગ ભાઇનાં રોલમાં નજર આવે છે. ફિલ્મમાં રનજીકાંત ઉપરાંત કીર્તિ સુરેશ છે. જે તેમની બહેનનાં પાત્રમાં છે. તો ફિલ્માં જેકી શ્રોફ અને પ્રકાશ રાજ પણ મહત્વનાં પાત્રમાં નજર આવશે. 'અન્નાથ્થે' ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.