દિલ્હી-

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી અને એના ભાઇ અનિલ અંબાણીને સરકાર દ્વારા અપાયેલી ઝેડ સિક્યોરિટીને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી હતી. જાે કે કોર્ટે મુંબઇ હાઇકોર્ટના એ અભિપ્રાયને બહાલ રાખ્યો હતો કે શ્રીમંતોએ પોતાની સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉપાડી લેવો જાેઇએ.

2013માં મનમોહન સિંઘની સરકારે અંબાણી ભાઇઓને ઝેટ પ્લસ સિક્યોરિટી આપી ત્યારે એ ર્નિણયને મુંબઇ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારની દલીલ એવી હતી કે આ ભાઇઓ પોતાની સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉપાડી શકે એટલા સમૃદ્ધ છે. હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જાે કે હાઇકોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશના અર્થતંત્રમાં માતબર પ્રદાન કરતા આ ભાઇઓના જાનને જાેખમ હોય તો એ મુદ્દાને હળવાશથી લઇ શકાય નહીં. કોને કેટલી અને કેવી સિક્યોરિટી આપવી એ નક્કી કરવાનું કામ સરકાનું છે, કોર્ટનું નથી.

અંબાણી પરિવાર તરફથી કોર્ટમાં હાજર રહેલા ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે મારા અસીલો અને તેમના પરિવાર પર જાનનું જાેખમ હોવાથી સિક્યોરિટી લેવી પડી છે. પરંતુ આ સિક્યોરિટીનો ખર્ચ અંબાણી પરિવાર પોતે ઉપાડે છે, પ્રજાના પૈસા આ સિક્યોરિટી લીધી નથી. એ દલીલ સ્વીકારતાં હાઇકોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જે વ્યક્તિ પોતાની સિક્યોરિટીનો ખર્ચ આપવા તૈયાર હોય એને સરકાર આવી સિક્યોરિટી આપી શકે છે. જેમના જીવ પર જાેખમ છે એમને સરકાર પાસે સિક્યોરિટી માગવાનો અધિકાર છે.

2013માં મનમોહન સરકારે મૂકેશ અંબાણીને ઝેટ પ્લસ સિક્યોરિટી આપી ત્યારે એ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે આ મુદ્દે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવા શ્રીમંતો પોતાના પૈસે સિક્યોરિટી લઇ શકે છે. આમ આદમી જ્યારે પોતાને અસુરક્ષિત માનતો હોય ત્યારે આવા શ્રીમંતોને પ્રજાના પૈસે સિક્યોરિટી શા માટે આપવી જાેઇએ.