દિલ્હી-

પાલઘર જિલ્લામાં એપ્રિલમાં ટોળા દ્વારા બે સાધુઓ અને તેમની કાર ચાલકને માર મારવાના કેસમાં મહારાષ્ટ્ર સીઆઈડીની ક્રાઈમ બ્રાંચે વધુ 19 લોકોને ધરપકડ કરી છે, જેમાંથી એક 70 વર્ષનો છે. બુધવારે એક અધિકારીએ આ માહિતી આપી.આ અધિકારીએ જણાવ્યું કે આ ઉપરાંત પોલીસે 16 એપ્રિલની ઘટના સંદર્ભે પાંચ સગીરની ધરપકડ પણ કરી છે.

ધરપકડ કરાયેલ લોકોમાં એમટેક ડિગ્રી ધારક અને નામાંકિત કંપનીના મેનેજરનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ટોળાની હિંસાના મામલામાં હજુ સુધી 248 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 105 ને જામીન આપવામાં આવ્યા છે.