વડગામ : પાલનપુર આરટીઓ સર્કલ પાસે આવેલા વૃધ્ધાશ્રમમાં ૯૦ આશ્રિતોને નવનિર્મિત માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખનું રાશન અપવામા આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે માનવ સેવા ટ્રસ્ટનો શુભારંભ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવાસે આવ્યા હતા.પાલનપુર આરટીઓ સર્કલ પાસે આવેલા હિન્દુ સમાજ વડીલ વિશ્રામગૃહ આવેલું છે આ વડીલ વિશ્રાંતિ ગૃહના વૃદ્ધાશ્રમ માં આશ્રય લઈ રહેલા ૯૦ જેટલા વડીલોને નવ નિર્મિત માનવ સેવા ટ્રસ્ટ ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ મહેશભાઇ ડેલ, ત્રણ લાખ રૂપિયાનું રાશન આપી ટ્રસ્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આં માનવ સેવા ટ્રસ્ટ ના ચેરમેન અને વડગામ તાલુકા ના છાપી પંચાયત ના તલાટી તથા બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ ના પ્રમુખ મહેશ ભાઈ,વી.ડી.ચૌધરી, આશિષભાઈ ચૌધરી, પ્રકાશભાઇ મહીવાલ,સહિત ટ્રસ્ટના સભ્યો દ્વારા દાન આપ્યું હતું.કોરોનાની મહામારીમાં પણ તલાટી મંડળ ના પ્રમુખ દ્વારા જરૂરિયાત મંદોને વડગામ તાલુકામાં રાશન સામગ્રીનું વિતરણ કર્યું હતું.