આ ચાર પેજ છે જાેઇ લેજાે  હું એચ.એન.વાળંદ

હું હિતેશભાઇ જાતે આ ત્રાસ લખીને આપું છું. આજથી મારી જીંદગીમાંથી મુક્ત થાવ છું. એનું કારણ છે કે આજે લોકોએ મારી પર ખુબ દબાણ આપે છે. મારો ધંધો છેલ્લા બે મહિનાથી કોરોનાના હિસાબે બંધ છે. એટલલે બધાને કીધું કે મારાથી પૈસા અમના નહિ બને પન કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરન કેમ કરવા લાગ્યા. આજે જે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસ ના આપ્યો, અને હવે જ્યારે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી આ બદનામી સહાય નઇ કેમ કે એમને પોતાના પૈસાની પડેલી છે. હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેના નામ લખું છું. એ બધા જવાબદાર છે. મુકેશ રણછોડ લીલોડ, કેયુરભાઇ મુકેશભાઇ લીલોડ,પટ્ટુભાઇ અશોકભાઇ લીલોડ,મિલેનભાઇ ભરૂચ – લખું કોના હસ્તો.પ્રેશવાળા – રાજીભાઇ વેમેરડી, રાણપુર સ્નેહલ મિલેનભાઇનો માણસ

આ લોકોના ટોચરથી હું આત્મા હત્યા કરવા મજબુર થયેલો છે. એમાં જે લોકોએ મારી ઇજ્જત બગાડી એ લોકોના નામ પણ આપું છું. મોસીનભાઇ રસીદભાઇ લીલોડ, ફેજુદીન રસુલભાઇ લીલોડ,રફીકભાઇ નકુમ લીલોડ,નાગજીભાઇ પટેલ લીલોડ,આ બધુ કામ મને ખબર છો, કોને કરાવ્યુ ખાસ મેન વ્યક્તિ છે. અક્ષય પટેલ લીલોડ, રૂષી પટેલ લીલોડ આ બંને મેન

હું આજથી નદીમાં કુદકો મારીને આત્મા હત્યા કરૂ છું. જેના જવાબદાર આ બધા જ હશે. કોઇ પણ વ્યક્તિ પાશે બે મહિના કોરોનાના સમયે ધંધો બંધ થઇ જાય તો આજે પાંચ વરસથી આપતા વ્યાજ આજે બે મહિના બંધ થઇ જાય તો આટલું ટોચર કરવાની સિ જરૂર છે. આજે મારી ત્રણ છોકરીઓ અને મારી વાઇફને નાદાનીમાં છોડીને મારે જવું પડે એમ છે. હું સરકારને અરજ કરું છું કે મારા ગયા પછી આ વ્યાજ ખોળોને સખત સજા આપવા વિનંતી. મારાથી ઘરે સલાંજ સવાર ઉઘવા પન નથી દેતા જમવા પણ નહિ દેતા આવે મારી ઇજ્જતના ખાતર આ પગલું ઉઠાવવા મજબુર થયો છું. મારા મરવાનું કારણ આ બધા લોકો છે. આવું કોઇ સીધા વ્યક્તિ જાેડે ના થાય તે માટે તમે કડાક પગલા લેવા વિનંતી. જય શ્રી રામ નર્મદે હર હર નર્મદે,

 હું પોતે

લિ. હિતેસભાઇ એન વાળંદ

આજથી આત્માહત્યા કરું છું

મારા દરેક જગ્યાએ ચેક આપેલા છે. પણ પૈસા પુરા થઇ જાય તો પન એ લોકો પાછા આપતા નથી. જેના આજ ગડીયે આ લોકો એધમકી આપી ઉઠાવ્યો હતો હું તો સભાણ અને ભરોસા પર ચાલતો હતો. પન આ લોકો આટલા બધા બદમાશ નીકળશે તેની મને ખબર નથી આજે પાંચ ટકા થી દસ ટકા સુધી વ્યાજ વધારી મારી પાસેથી મિલકત પડાવવાની કોશિશ કરી એટલા મારાથી ના રેવાયું આવું તો રાક્ષસોજ કરે. મારી મીલ્કત મારી ત્રણ છોકરી અને મારી વાઇફને આપવા વિનંતી જાે એવી ન થાય તો મારી આત્માને સંતોષ નઇ આપું અને તમને આખી જીંદગી હેરાન કરીશ આજ મારૂ સપનું

હિતેષભાઇ એન.વાળંદ

ચાર પાનાની ચિઠ્ઠી હિતેશભાઈએ સગાંસંબંધીઓને પણ મોકલી

ગુમ યુવાને ચિઠ્ઠી લખીને તેના મિત્રો અને સગાંસંબંધીઓને વોટ્‌સએપથી મોકલી

કોરોનાના કારણે છેલ્લા બે માસથી ધંધો બંધ છે. તેવા સમયે વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રાસીને વેપારી હિતેશભાઈએ ઘર છોડતાં પહેલાં બાર વ્યક્તિઓ સામે પરેશાન કરતા હોવાના આક્ષેપો કરતી ચાર પાનાની ચિઠ્ઠી લખી ને તેના મિત્રો અને સગાં સંબંધીઓને વોટ્‌સએપથી મોકલી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.