અમદાવાદ-

સમગ્ર વિશ્વમાં 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય લાંચ રીશ્વત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવશે, ત્યારે અમદાવાદની ACB કચેરી ખાતે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવશે.આ દિવસ ઉજવવાનો હેતુ સરકારી, ખાનગી ક્ષેત્ર, બિનસરકારી સંગઠનો અને મીડિયા તથા નાગરિકો ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાય અને ભ્રષ્ટાચાર થતો અટકાવવા અવાજ ઉઠાવે અને લોકજાગૃતિ ફેલાય તે માટે આ વર્ષે સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, નામદાર ગુજરાત હાઈકોર્ટ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી અને લાંચરૂશ્વત બ્યુરો દ્વારા સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય લાંચરૂશ્વત વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે.