વિશાખાપટ્ટનમ-

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં ભર બજારમાં 17 વર્ષની એક બાળકીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી રસ્તા પર તે કણસી રહી હતી અને પછી તેણીએ દમ તોડી દીધો.

પોલીસને શંકા છે કે યુવતીએ કિલર યુવક અનિલના પ્રેમ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો જેથી અનિલ ગુસ્સે હતો અને ગુસ્સામાં તેણે યુવતીની હત્યા કરી હતી. ઘટના મુજબ વિશાખાપટ્ટનમ શહેરમાં સનરાઇઝ કોલોનીના સાંઇબાબા મંદિર નજીક 17 વર્ષીય વરલક્ષ્મી પર હુમલો થયો હતો. પહેલા યુવક અને યુવતી વચ્ચે થોડી ચર્ચા થઈ. ત્યારબાદ યુવકે તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે પીડિતાની થોડીવારમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી યુવક અનિલની ધરપકડ કરી છે. આંધ્ર અને તેલંગાણામાં તાજેતરના ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.