અંક્લેશ્વર -

ઉત્તર પ્રદેશ ના હાથરસ ગામે દલિત યુવતી પર થયેલા બળાત્કાર અને હત્યા બાબતે સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ ફેલાયુ છે. ત્યારે અંકલેશ્વર વાલ્મિકી સેવા મંડળ દ્વારા ગુનેગારો ને ફાંસી ની સજા કરવા બાબતે તેમજ કચ્છ ના રાપર માં વકીલ ની હત્યા અંગે મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર વાલ્મિકી સેવા મંડળ ના આગેવાન ડી.સી.સોલંકી તથા અન્ય આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદાર ને આવેદનપત્ર આપી હાથરસની ઘટના ને વખોડી કાઢી અને સામેલ ગુનેગારો ને ફાંસી ની સજા આપવા બાબતે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ ના રાપર માં અસામાજીક તત્વો એ વકીલ સ્વ.દેવજીભાઈ મહેશ્વરી ને ધોળે દિવસે હત્યા કરી હતી. જેમાં સામેલ ગુનેગારો ને ફાંસી ની સજા કરવાની માંગણી કરી હતી.