ગાંધીનગર-

ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે ૧.૩૬ લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. તેમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૫૦ ટકા વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદ પણ ગત વર્ષ કરતાં ૫૦ ટકા ઓછો નોંધાયો છે.વાવેતર ઘટવા પાછળના વિવિધ કારણોમાંનુ એક નકારી શકાય તેમ નથી. જાે વરસાદ નિયમિત થશે તો વાવેતર વધશે તે ચોક્કસ છે.

ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધી વરસાદ ૫૦ ટકા ઓછો થયો છે અને મોડું ચોમાસુ બેસતા વાવેતર ઓછુ થયું હતું. ગત વર્ષે અત્યાર સુધીમાં ૩૬ હજાર હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે અત્યાર સુધી માત્ર ૧૮ હજાર હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે જૂનની શરૂઆતમાં જ વરસાદ મોટા પ્રમાણમાં વાવણી લાયક થઈ ગયો હતો પરંતુ આ વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. જાેકે, અગાઉના દિવસોમાં તાઉ તે વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ થયો હતો ત્યારબાદ હજી સારો વરસાદ થયો નથી.

ગાંધીનગર જિલ્લામાં ૩ વર્ષમાં સરેરાશ ૧ લાખ ૩૬ હજાર ૮૦૦ હેક્ટરમાં વાવેતર થાય છે. આ વર્ષે પણ ૧.૩૬ લાખથી ૧.૩૮ લાખ સુધી વાવેતર થવાનો અંદાજ છે. આ વર્ષે વાવેતર ૧૮ હજાર હેક્ટરમાં જ થયું છે. ગત વર્ષે વરસાદ વહેલો શરૂ થઈ ગયો હતો. જેથી હવે વરસાદ વધશે ત્યારે વાવેતરમાં ઝડપી વધારો પણ થશે. પાકોમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે.

છેલ્લા ૩ વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં કપાસનું ૨૨ હજાર હેક્ટરમાં, ડાંગરનું ૧૨ હજાર હેક્ટરમાં, દિવેલાનું ૨૫ હજાર હેક્ટરમાં, ઘાસચારાનું ૪૧,૮૦૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે શાકભાજીનું ૧૪,૪૦૦ હેક્ટરમાં અને મગફળીનું ૮૨૦૦ હેક્ટરમાં સરેરાશ ઉત્પાદન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે અનિયમિત વરસાદના સમયે પાક ઓછો થવાનો અંદાજ રહે છે. જાે આ વર્ષે વરસાદ નિયમિત રહેશે તો વાવેતર વધી શકવાનો અંદાજાે જાણકારો લગાવી રહ્યા છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે. ગાંધીનગર જિલ્લામાં ૪-૫ દિવસમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેથી વાવણી પહેલા બિયારણ ખરીદી કરતા હોય ત્યારે વિશ્વાસપાત્ર અને સર્ટિફાઇડ બિયારણ જ ખરીદવા જાેઈએ. ખેડૂતોએ આ બાબતનું પહેલા ધ્યાન રાખવાની જરૂર છે. વાવેતર કરતા પહેલા કોઈ પણ પાકને ફુગનાશક દવાનો પટ આપવાનો આગ્રહ રાખવો જાેઈએ.