રાજકોટ-

મૃતકની પત્ની મીરાએ જણાવ્યું હતું કે, તે બપોરે હુડકો શાંતિ નગર ચોકડીએ ભાઈની દીકરીની સગાઈમાં ગઈ હતી. તે અંગે પતિપત્ની વચ્ચે ઝઘડો થયો હતો. હત્યાનો ભોગ બનનારા સલીમ અજમેરીએ 8 વર્ષ પહેલા દેવીપૂજક યુવતી મીરા સાથે લગ્ન કર્યા હતા. જોકે, મૃતક પતિ વારંવાર તેની પત્ની પર શંકા રાખતો હતો. આના કારણે મીરાના ભાઈઓએ આવીને સલીમ પર હુમલો કર્યો હતો. સલીમ પર હુમલો કરવા માટે 15 લોકો આવ્યા હતા. તમામ લોકોએ સલીમ પર હુમલો કર્યો હતો.

રાજકોટમાં બે સાળાએ સામાન્ય બોલાચાલીમાં પોતાના બનેવીની હત્યા કરી નાખી હતી. જોકે, કારણ પતિ-પત્ની વચ્ચે થયેલી માથાકૂટ એ જ હત્યા પાછળનું હતું. પરિણીતાને તેના પતિ અંગે તેના ભાઈઓને ફરિયાદ કરી હતી. આ દરમિયાન પરિણીતાના ભાઈઓ તેના બનેવીને ગાળો બોલતા મામલો વધુ બગડ્યો હતો. પરિણીતાના ભાઈ અને તેના મામાના દીકરા સહિત લોકોએ આવીને મૃતક સલીમ સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન સાજન પ્રભાતભાઈ સોલંકી પણ ઘાયલ થયો હતો. આ ઉપરાંત બિલાલ સલીમભાઈ, અકરમ સલીમભાઈ પણ ઘાયલ થતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરશે.