પ્રાંતિજ-

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા ધીરે ધીરે શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્કૂલ કોલેજાેમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને આજથી ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ થવાના છે. આ પહેલા જ સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો પ્રમાણે, પ્રાંતિજની એક્સપેરીમેન્ટર હાઈસ્કૂલ અને સર્વોદય હાઈસ્કૂલના શિક્ષકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આવતીકાલથી ધોરણ ૦૬ થી ૦૮ વર્ગો શરુ થાય તે પહેલા જ કોરોનાને લઈ ફફડાટ ફેલાયો છે.