સુરત-

શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 13 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. કિશોરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કિશોરીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. જોકે પરિવારની એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં માતાના આક્રંદથી માહોલ ગમગીન થયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં મૂળ યુપીની 13 વર્ષીય રોશની કુમારી પરિવાર સાથે રહેતી હતી. પરિવારની એકની એક દીકરી હતી. ઘર નજીકમાં જ આવેલી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. ગત રોજ માતા-પિતા કામ પર ગયા હતા. દરમિયાન કિશોરીએ એકલતાનો લાભ લઈ રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા પિતા કામ પરથી પરત આવ્યા બાદ માતા-પિતાને દીકરીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 13 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.કિશોરીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. જોકે પરિવારની એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.