દિલ્હી-
ઝારખંડમાં ગુરુવારે એમટીએમ માં આગ ભભૂકી ઉઠી અને 12 લાખ રૂપિયાની નોટોનો બળીને ભષ્મ થઇ ગઈ. સ્થાનિકોએ આ ઘટનાને પોલીસ અને ફાયર બ્રિગેડની બેદરકારી દાખવવા માટે દોષી ઠેરવ્યા છે.
મળતી માહિતી મુજબ, જમશેદપુર શહેરના ગોવિંદપુર વિસ્તારમાં, ફાટક રોડ પર બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. તે સમયે આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને કારણે, આગ ફાટી નીકળી હતી. આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા, એટીએમ મશીન ભષ્મીભૂત થઇ ગઈ હતી. આગને કારણે એટીએમ મશીનની લગભગ 12 લાખ રૂપિયાની નોટોનો નાશ થયો હતો. સ્થાનિકોએ આગ બુઝાવવા નો પ્રયાસ કર્યો, તેથી તે નજીકની બિલ્ડિંગમાં ફેલાયો નહીં. દરમિયાન સ્થાનિક લોકોએ મોડુ થવા બદલ, પોલીસ અને ફાયર વિભાગને દોષી ઠેરવ્યા છે. આગની જાણ થતાં પોલીસ અને અગ્નિશામક દળ મોડેથી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં એટીએમ મશીન અને તેમાં રહેલી નોટો સળગી ગઈ હતી. જો ફાયર બ્રિગેડ દળ સમયસર પહોંચ્યુ હોત તો, 12 લાખ રૂપિયાનુ નુકસાન ટાળી શકાય તેમ હતુ, તેમ સ્થાનિકોએ જણાવ્યુ હતુ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments