ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૫૦૦ ને પાર પહોંચ્યો હતો. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦૦૦થી નીચે જતી રહી હતી. જાે કે દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. જાે કે, ત્યાર બાદ અમદાવાદ સહીત ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ બાદ પરિસ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેવી રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આ દરમિયાનમાં આજે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ઘટીને ૧૧૦૦ ની નજીક પહોંચી ગયો છે. આજે કોરોના પોઝિટિવના નવા ૧૧૬૦ કેસો નોંધાયા હતા. જયારે વધુ ૧૦ દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા હતા. તો તેની સામે રાજ્યમાં ૧૩૮૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૨,૧૪,૨૨૩ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.રાજ્યમાં આજે નવા ૧૧૬૦ કેસો નોંધાયા છે. એમાં અમદાવાદ શહેરમાં ૨૩૦, અમદાવાદ જિલ્લામાં ૯ કેસ, સુરત શહેરમાં ૧૪૩ તો સુરત જિલ્લામાં ૨૬ કેસ, વડોદરા શહેરમાં ૧૦૭ કેસોની સામે જિલ્લામાં ૪૨ કેસ, રાજકોટ શહેરમાં ૧૦૪ કેસોની સામે જિલ્લામાં ૨૭ કેસ અને ગાંધીનગર શહેરમાં ૨૧ તો જિલ્લામાં ૩૨ કેસો નોંધાયા છે.જયારે  મહેસાણામાં ૪૪, કચ્છમાં ૧૯,  ભાવનગર શહેરમાં ૨૦માં તો જિલ્લામાં પાંચ કેસ, જામનગર શહેરમાં ૨૫ કેસો તો જિલ્લામાં ૯ કેસો, જૂનાગઢ શહેરમાં ૧૨ કેસો તો જિલ્લામાં ૮ કેસો નોંધાયા હતા. જયારે આજે રાજ્યમાં વધુ ૧૦ દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે. તેમાં અમદાવાદ શહેરમાં પાંચ, સુરત શહેરમાં ૨, રાજકોટ શહેર, વડોદરા અને અમરેલીમાં ૧-૧ મળીને કુલ ૧૦ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.