વડોદરા. પશુપાલન વિભાગ દ્વારા વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા માટે ત્રણ ફરતા દવાખાના એમ્બ્યુલન્સને સાંસદ રંજનબેન ભટ્ટે પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભય કેતન ઈનામદાર, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હાલ ફરતા પશુ દવાખાનાની સેવા ૩૦ ગામોને મળશે.