રાજકોટ-

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પાટીદાર ચોક પાસે કોલેજીયન હેર આર્ટ ચલાવતા યુવકે દુકાનમાં જ આપઘાત કરી લેતા પોલીસે તપાસ કરતા તેની પાસેથી સ્યુસાઈટ નોટ મળી હતી. જેમાં તેના મિત્રોને ઉલ્લેખ કરી હું માંગું છુ તે પૈસા મારા પિતાને આપી દેજાે હું જાવ છુ, તેમજ હું મારી મરજીથી આ પગલુ ભર્યાનો ઉલ્લેખ કરતા પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી છે.

પોલીસ સત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર વિવેકાનંદનગરમાં રહેતો અમીત મહેશભાઈ ચારોલા (ઉ.વ.૨૮)નામનો યુવક તેની પાટીદાર ચોક પાસેની કોલેજીયન હેર આર્ટ નામની દુકાનમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું તેના ભાઈએ જાણ કરતા યુનિ. પોલીસે કાર્યવાહી કરી હતી.જમાદાર અજયસિંહે તપાસ કરતા તેની પાસેથી સ્યુસાઈટ નોટ મળી હતી જેમાં તેને મિત્રો પાસે માંગતા રૂપિયા તેના પિતાને આપી દેવાનો અને હું મારી મરજીથી આ પગલુ ભરૂ છુ તેવો ઉલ્લેખ હોય પોલીસે આપઘાતનું કરતા જાણવા મથામણ કરી છે.