વલસાડ-

અંકલેશ્વરથી દમણ ફોઈના બેસણામાં આવેલો ૨ પરિવારના સભ્યો દમણ શોક સભામાં હાજરી આપી અંકલેશ્વર ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રકસાથે ટક્કર લાગી કાર પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર ૨ બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ તેની કાર ન. જીજે-૧૬-સીબી-૩૫૧૩ લઈને તેની બહેન અને તેના બાળકો સાથે અન્ય સંબંધીઓ સાથે દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા. જ્યાં ઇન્જાેય કરીને રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક ન. જીજે-૧૫-વાયવાય-૮૮૮૯ ને કાર ચાલક અલતાફે ટક્કર મારી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈનના પોલ સાથે ધડાકાભેર અકસ્માત સજ્ર્યો હતો.

કારમાં સવાર અલ્તાફ, તસ્લિમબેન, મુશકાન, ખુશી, અરમાન સહિત ૭ સભ્યો કારમાં સવાર હતા. પાછળ આવી રહેલા અન્ય કાર ન. જીજે–૦૫-સીઇ-૫૬૪૫માં પાછળ આવી રહેલા પરિવાર ના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જાેતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જાેઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.ઘટનાની જાણ ૧૦૮ અને રૂરલ પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ૨ બાળકો અને એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.