ગાંધીનગર-

કોરોના સંક્રમણને પગલે આ વર્ષે રાજ્યમાં શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે ઈનકાર કર્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાને લીધે હજુ પણ શાળાઓ ફિઝિકલ રીતે શરૂ નથી થઈ શકી. મીડિયામાં શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના અહેવાલો વહેતા થયાં હતા. રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો કોઈ વિચાર નથી. શિક્ષણ મંત્રીના મતે વિદ્યાર્થીઓને પ્રમોટ કરતા પહેલા પરીક્ષાઓ લેવાશે.

ગુજરાતમાં ધો. ૧થી ૮ અને ધો.૯ તેમજ ૧૧માં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. સ્કૂલો દ્વારા કોરોના કાળમાં જે ઓનલાઈન સિલેબસ ભણાવવામાં આવ્યો છે તેના આધારે પરીક્ષાઓ યાજાશે. જાે શાળાઓ દ્વારા સમગ્રમ સિલેબસ નથી ભણાવી શકાયો તો જેટલો સિલેબસ પૂરો થયો હોય તેને આધારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પરીક્ષા લેવાના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે વિકલ્પ યોગ્ય હશે તેના પર વિચાર કરાશે. એક વિકલ્પ મુજબ વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ન પત્ર આપવામાં આવે અને તેને શિક્ષકો દ્વારા તપાસવામાં આવે. બીજાે ઓપ્શન એ છે કે વિદ્યાર્થીને સિમિત સંખ્યામાં શાળાએ બોલાવીને તેમની પરીક્ષા લેવામાં આવે. ત્રીજાે ઓપ્શન ઓનલાઈન પરીક્ષાનો છે. જાે કે આ વિકલ્પ સૌથી ઓછી શક્યતા ધરાવે છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટફોન અને કોમ્પ્યૂટરની માર્યાદિત સુવિધાને પગલે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેમ નથી.